ગાયકવાડના દીવાનજીને સપનામાં દેખાયા 'નાગનાથ મહાદેવ'
ગાયકવાડના દીવાનજીને સપનામાં દેખાયા 'નાગનાથ મહાદેવ'
Published on: 28th August, 2026

અમરેલી શહેરની મધ્યમાં આવેલું ગાયકવાડી સમયનું 'નાગનાથ મહાદેવ' શિવાલય ખૂબ જ પ્રખ્યાત છે. એક દંતકથા અનુસાર, સ્ટેટના દીવાનજી વિઠ્ઠલરાવ દેવાજીને સ્વપ્નમાં અલૌકિક શિવલિંગના પ્રાગટ્યનો સંકેત મળ્યો. આ પહેલા, દીવાનજીની ગાયો એક ચોક્કસ જગ્યાએ આવીને આપમેળે દૂધ વહેવડાવતી હતી, જે ભરવાડે જોયું. દીવાનજીએ સ્વપ્ન બાદ તે જગ્યાએ ખોદકામ કરાવતા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. વિક્રમ સંવત 1869માં મંદિરનો પાયો નંખાયો અને 60 હજાર રૂપિયાના ખર્ચે મંદિર બન્યું. શ્રાવણ માસમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.