આધાર કાર્ડનો ઉપયોગ ફક્ત ઓળખ માટે: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
આધાર કાર્ડનો ઉપયોગ ફક્ત ઓળખ માટે: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
Published on: 16th June, 2026

સુપ્રીમ કોર્ટ આજે આધાર કાર્ડના ઉપયોગ અંગેની જનહિત અરજી પર સુનાવણી કરશે. અરજીમાં દાવો કરાયો છે કે આધારનો ઉપયોગ ઓળખપત્ર ઉપરાંત નાગરિકતા, નિવાસ અને જન્મતારીખના પુરાવા તરીકે થઈ રહ્યો છે, જે કાયદા વિરુદ્ધ છે. અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજીમાં આધારના ઉપયોગને ફક્ત ઓળખની પુષ્ટિ સુધી મર્યાદિત રાખવા નિર્દેશોની માગણી છે. આધારનો ઉપયોગ નવા મતદાર નોંધણી ફોર્મમાં જન્મતારીખ અને નિવાસના પુરાવા તરીકે કરવો એ કાયદા વિરુદ્ધ ગણાવાયો છે. અરજદાર મુજબ, આધારના આધારે ઘૂસણખોરો અને ગેરકાયદેસર પ્રવાસીઓ સરળતાથી અન્ય દસ્તાવેજો મેળવી રહ્યા છે.