9 માંથી 6 સાંસદોનો બળવો: ઉદ્ધવ ઠાકરેને સ્થાપના દિવસ પહેલાં મોટો ઝટકો
9 માંથી 6 સાંસદોનો બળવો: ઉદ્ધવ ઠાકરેને સ્થાપના દિવસ પહેલાં મોટો ઝટકો
Published on: 16th June, 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ જૂથ (UBT)ના 9 માંથી 6 સાંસદો બળવાખોરી કરવાના મૂડમાં હોવાના અહેવાલો છે. જો આ રાજકીય ચર્ચા સાચી ઠરશે તો શિવસેનાના સ્થાપના દિવસ પહેલાં ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો લાગશે. આ બાગી સાંસદો અલગ જૂથ બનાવી મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ની શિવસેનામાં વિલય કરી શકે છે. ઉદ્ધવ ઠાકરેએ બોલાવેલી બેઠકમાં માત્ર 4 જ સાંસદો હાજર રહેતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. પક્ષમાં ભંગાણ રોકવા માટે ઉદ્ધવ જૂથ દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.