ઓનલાઈન ફ્રોડમાં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ. 25000 સુધીનું વળતર: RBIનો મોટો નિર્ણય
ઓનલાઈન ફ્રોડમાં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ. 25000 સુધીનું વળતર: RBIનો મોટો નિર્ણય
Published on: 26th June, 2026

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 1 જાન્યુઆરી, 2027થી ઓનલાઈન ફ્રોડ અને UPI છેતરપિંડીના ભોગ બનેલા ગ્રાહકોને વળતર આપવાનો નવો નિયમ જાહેર કર્યો છે. કમર્શિયલ બેન્કોના ડિજિટલ વ્યવહારો પર લાગુ થનારા આ નિયમ હેઠળ, ગ્રાહકે પાંચ દિવસમાં ફરિયાદ નોંધાવવી પડશે. જો ગ્રાહકની ભૂલ ન હોય તો વધુમાં વધુ રૂ.25,000 અથવા નુકસાનના 85 ટકા (જે ઓછું હોય તે) વળતર મળશે. આ યોજના હેઠળ જીવનમાં માત્ર એક જ વાર વળતરનો લાભ મળશે.