યુદ્ધવિરામ માત્ર એક ભ્રમ?
યુદ્ધવિરામ માત્ર એક ભ્રમ?
Published on: 20th June, 2026

ગાઝામાં યુદ્ધવિરામના દાવાઓ વચ્ચે યુનિસેફે ચિંતાજનક અહેવાલ જાહેર કર્યો છે. સંસ્થાના જણાવ્યા મુજબ, ઓક્ટોબર 2025થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 265 પેલેસ્ટિનિયન બાળકોના મોત થયા છે અને 400થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. યુનિસેફે આ સ્થિતિને “ક્રૂર અને જીવલેણ ભ્રમ” ગણાવી છે અને જણાવ્યું છે કે યુદ્ધવિરામ છતાં બાળકોના મોત ચાલુ છે. દવાઓની અછત, આરોગ્ય સેવાઓના અભાવ અને નાકાબંધીને કારણે બાળકોની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ગાઝામાં 11 લાખથી વધુ બાળકોને સ્વચ્છ પાણી અને સારવાર જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.