'વેચેલો માલ પાછો નહીં લેવાય' લખેલું હોવા છતાં ગ્રાહક અધિકારો જાળવી રાખે છે
'વેચેલો માલ પાછો નહીં લેવાય' લખેલું હોવા છતાં ગ્રાહક અધિકારો જાળવી રાખે છે
Published on: 22nd August, 2026

બજારમાંથી ખરીદી કરતી વખતે 'વેચાયેલો માલ પાછો લેવામાં આવશે નહીં' જેવી શરતો જોઈને ઘણા ગ્રાહકો નિરાશ થાય છે. પરંતુ, Consumer Protection Act, 2019 હેઠળ ગ્રાહકોને મળેલા કાનૂની અધિકારો આ શરતોથી બદલી શકાતા નથી. જો પસંદગી બદલાઈ હોય અને વસ્તુમાં કોઈ ખામી ન હોય, તો દુકાનદાર રિટર્ન લેવા બંધાયેલો નથી. પરંતુ, જો ખરીદેલા સામાનમાં Manufacturing Defect હોય, ગુણવત્તા નબળી હોય, ખોટો સામાન મળ્યો હોય, તો ગ્રાહક રિપેરિંગ, રિપ્લેસમેન્ટ, રિફંડ કે વળતર મેળવવા હક્કદાર છે. Sale કે Discountમાં ખરીદેલી ખામીયુક્ત વસ્તુ માટે પણ ગ્રાહક ફરિયાદ કરી શકે છે.