ATMમાંથી ફાટેલી નોટ નીકળી?
ATMમાંથી ફાટેલી નોટ નીકળી?
Published on: 13th September, 2026

ક્યારેક ATMમાંથી ફાટેલી કે ગંદી નોટ નીકળવાથી ચિંતા થાય છે, પરંતુ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ માટે નિયમો બનાવ્યા છે. જો તમને આવી નોટ મળે, તો ગભરાવાની જરૂર નથી. તમે સંબંધિત બેંકનો સંપર્ક કરીને તેને બદલી શકો છો. આ માટે ATMમાંથી પૈસા કાઢ્યાની તારીખ, સમય અને સ્થળ જેવી વિગતો સાથે લેખિત અરજી આપવી જરૂરી છે. ટ્રાન્ઝેક્શન સ્લિપ અથવા SMS પણ પુરાવા તરીકે ઉપયોગી થઈ શકે છે. RBI મુજબ, એક સમયે ₹5,000 સુધીની 20 નોટ બદલી શકાય છે અને આ સેવા માટે કોઈ ફી નથી. જો બેંક ના પાડે, તો RBIમાં ફરિયાદ કરી શકાય છે.