પોતાનું ઘર બનાવવા માટે સરકાર આપશે ₹1.50 લાખ
પોતાનું ઘર બનાવવા માટે સરકાર આપશે ₹1.50 લાખ
Published on: 11th September, 2026

પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 શહેરી પરિવારોને પોતાનું ઘર ખરીદવા કે બનાવવા માટે મદદ કરે છે. આ યોજના આર્થિક રીતે નબળા અને પાત્ર શહેરી પરિવારોને પાકા ઘર મેળવવા માટે નાણાકીય સહાય, કિફાયતી ઘર અને હોમ લોન પર વ્યાજ સબસિડી જેવી સુવિધાઓ પૂરી પાડે છે. પોતાની જમીન ધરાવતા અને ઘર બનાવવા માટે ભંડોળ ન ધરાવતા લાભાર્થીઓને ₹1.50 લાખ સુધીની સહાય મળશે. EWS કેટેગરીમાં આવતા જમીનવિહોણા પરિવારો માટે કિફાયતી આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રોજગાર માટે શહેરોમાં આવતા શ્રમિકો માટે સસ્તા ભાડાના મકાનની પણ વ્યવસ્થા છે. 8 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વાર્ષિક 4% વ્યાજ સબસિડી મળશે.