રશિયાએ યુક્રેન પર કર્યો ભીષણ હુમલો: ૧૬ નાગરિકોનાં મોત, ૪૦ થી વધુ ઘાયલ
રશિયાએ યુક્રેન પર કર્યો ભીષણ હુમલો: ૧૬ નાગરિકોનાં મોત, ૪૦ થી વધુ ઘાયલ
Published on: 21st August, 2026

યુક્રેનની રાજધાની કીવ અને આસપાસનાં વિસ્તારોમાં રશિયાએ હવાઇ હુમલા કર્યા હતાં, જેમાં ઓછામાં ઓછા ૧૬ નાગરિકોનાં મોત થયા છે. યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ વિશ્વનાં દેશોને પૈટ્રિયટ ઇન્ટરસેપ્ટર મોકલવાની અપીલ કરી છે. યુક્રેનનાં એરફોર્સ અનુસાર, રશિયાએ ક્રૂઝ મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે એર ડિફેન્સ પર દબાણ વધ્યું હતું. કીવ મુખ્ય નિશાન હતું, પણ સમગ્ર યુક્રેનમાં ૨૮ સ્થળોએ હુમલા થયા હતા. રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે હુમલો એક ઇન્ડસ્ટ્રીયલ સાઇટ પર થયો હતો, જે ફલેમિંગો ક્રૂઝ મિસાઇલ માટે પાર્ટ્સ બનાવે છે.