યુક્રેનમાં ભારતીય જહાજ પર હુમલો: બે ક્રૂ મેમ્બર ગુમ
યુક્રેનમાં ભારતીય જહાજ પર હુમલો: બે ક્રૂ મેમ્બર ગુમ
Published on: 26th July, 2026

યુક્રેનના ઓડેસા બંદર પર 'MV AGN Ragnar' નામના ભારતીય વેપારી જહાજ પર હુમલો થયો, જેમાં 4 ભારતીયો હતા. બે ક્રૂ મેમ્બર સુરક્ષિત છે, જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે. આ ઘટના યુક્રેન સંઘર્ષમાં ભારતીયોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ઓડેસા બ્લેક સીનું મહત્વનું બંદર છે જ્યાં અગાઉ પણ અનેક હુમલા થયા છે. તાજેતરમાં જ થયેલા આવા જ એક હુમલામાં 4 ભારતીય નાવિકોના મોત થયા હતા, જે બાદ ભારતે રશિયા સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો હતો.