રશિયા-યુક્રેન યુદ્ધમાં ઓઈલ ઠેકાણાઓ પર હુમલાથી ઊર્જા સંકટ.
રશિયા-યુક્રેન યુદ્ધમાં ઓઈલ ઠેકાણાઓ પર હુમલાથી ઊર્જા સંકટ.
Published on: 26th July, 2026

રશિયા-યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધમાં 15 લોકોના મોત થયા છે. યુક્રેને ઝાપોરિઝ્ઝિયામાં કરેલા હુમલામાં 12 લોકો માર્યા ગયા, જ્યારે રશિયન ડ્રોન હુમલામાં સુમી વિસ્તારમાં 3 લોકોના મોત થયા. બીજી તરફ, રશિયાએ કેસ્પિયન પાઇપલાઇન કન્સોર્ટિયમ (CPC) પર યુક્રેનના હુમલાને 'ઊર્જા આતંકવાદ' ગણાવ્યો છે. આ હુમલાથી વૈશ્વિક તેલ પુરવઠામાં ઘટાડો થયો છે, જે પહેલેથી જ ઈરાન યુદ્ધને કારણે પ્રભાવિત હતો. કાળા સમુદ્ર (Black Sea) સ્થિત તેલ નિકાસ ટર્મિનલ ઠપ થતાં વૈશ્વિક બજાર પર મોટી અસર પડશે.