રાહુલ ગાંધીનો પ્રયાગરાજમાં 'છાત્રૌ કી ગૂંજ'
રાહુલ ગાંધીનો પ્રયાગરાજમાં 'છાત્રૌ કી ગૂંજ'
Published on: 08th August, 2026

પ્રયાગરાજમાં 'છાત્રૌ કી ગૂંજ' કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, દેશનો યુવા વર્ગ સિસ્ટમના ચક્રવ્યૂહમાં ફસાયેલો છે, જ્યાં 'ડેટા તમારો, દર્દ તમારું અને દૌલત એમની' છે. 21મી સદીમાં ડેટા અને AIનું મહત્વ સમજાવતાં તેમણે જણાવ્યું કે, ભારતીય નાગરિકો દ્વારા જનરેટ થતો ડેટા દેશની સંપત્તિ છે. રોજગારના સંકટ પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે, શિક્ષણ પાછળ લાખો ખર્ચ્યા પછી પણ BA, MA કે MScના સર્ટિફિકેટ્સ રોજગાર અપાવી શકતા નથી. આ હતાશામાં યુવાનો રીલ્સ અને મજબૂરીના શ્રમ તરફ વળી રહ્યા છે.