ગુજરાત હાઈકોર્ટનો પરિપત્ર રદ: વકીલોની 90% માગ સ્વીકારાઈ,
ગુજરાત હાઈકોર્ટનો પરિપત્ર રદ: વકીલોની 90% માગ સ્વીકારાઈ,
Published on: 08th August, 2026

ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલો એક પરિપત્ર વકીલોના વિરોધ અને હડતાળ બાદ આખરે રદ કરવામાં આવ્યો છે. વકીલોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં તેમની લગભગ 90% માગણીઓ સ્વીકારવામાં આવી છે. A4 સાઇઝના પેપરનો ઉપયોગ, ફોન્ટ સંબંધિત નિયમોમાં છૂટછાટ, અને હાથથી લખેલી અરજીઓ સ્વીકારવા જેવી મુખ્ય બાબતો ગ્રાહ્ય રાખવામાં આવી છે. ગુજરાતી ફોન્ટ્સમાં સમાન ફોન્ટના ઉપયોગની મંજૂરી અને કોર્ટના રોજબરોજના કાર્યોમાં હાથથી અપાતી અરજીઓ સ્વીકાર્ય રહેશે. આ નિર્ણયથી વકીલોમાં ખુશીનો માહોલ છે.