શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો!
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો!
Published on: 08th August, 2026

શ્રીલંકા સામે રમાનારી બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે. યુવા અને પ્રતિભાશાળી બેટ્સમેન સાઈ સુદર્શનને પગના અંગૂઠામાં ઈજા થવાને કારણે આખી શ્રેણીમાંથી બહાર રહેવું પડશે. BCCI તરફથી હજુ સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ આ સમાચાર ટીમને મોટો ફટકો છે. સાઈ સુદર્શને તાજેતરમાં India A માટે શ્રીલંકા પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે બે સદી ફટકારી 332 રન બનાવ્યા હતા. તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો હતો, પરંતુ સતત દુખાવો તેને શ્રેણીમાંથી બહાર રાખશે.