PM મોદીની પોસ્ટ ગાયબ થતાં Metaને દિલ્હીનું તેડું
PM મોદીની પોસ્ટ ગાયબ થતાં Metaને દિલ્હીનું તેડું
Published on: 30th July, 2026

PM નરેન્દ્ર મોદીની ફેસબુક પોસ્ટ અસ્થાયી રૂપે દૂર થવાના મુદ્દે કેન્દ્ર સરકારે Metaના સિનિયર અધિકારીઓને આગામી 7 થી 10 દિવસમાં દિલ્હી ખાતે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) માત્ર ટેકનિકલ ભૂલની સ્પષ્ટતા સ્વીકારવા તૈયાર નથી. સરકાર કંપની પાસેથી નીતિગત તથા ટેકનિકલ સ્તરે વિગતવાર ખુલાસો માંગી રહી છે અને ખાતરી કરવા માંગે છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. Metaએ પ્રોટોકોલમાં ફેરફાર કરીને હાઈ-પ્રોફાઈલ એકાઉન્ટ્સ પર વધારાની દેખરેખ રાખવાનો નવો નિયમ અમલમાં મૂક્યો છે.