સોનમ વાંગચુકે વંદે ભારત અને ચિનાબ બ્રિજની પ્રશંસા કરી
સોનમ વાંગચુકે વંદે ભારત અને ચિનાબ બ્રિજની પ્રશંસા કરી
Published on: 30th July, 2026

પર્યાવરણવિદ્ સોનમ વાંગચુક 26 દિવસના અનશન બાદ લદાખ પરત ફર્યા છે. દિલ્હીથી શ્રીનગર પાછા ફરતી વખતે તેમણે પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી. તેમણે X પર એક વીડિયો પોસ્ટ કરીને ભારતીય રેલવે, ખાસ કરીને ચિનાબ બ્રિજ (Chenab Railway Bridge) જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રશંસા કરી. વાંગચુકે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ દેશની ટેકનોલોજી અને કનેક્ટિવિટી દર્શાવે છે. તેમણે સરકારને આંદોલનકારી યુવાનો પર કાનૂની કાર્યવાહી ન કરવા અપીલ કરી.