આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવનું દૂષણ.
આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવનું દૂષણ.
Published on: 18th May, 2026

સાબરકાંઠાના તલોદ તાલુકાના રૂપાલ ગામમાં અનુસૂચિત સમાજના લોકો સાથે ભેદભાવ અને ઉત્પીડનના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પીડિતોનો આરોપ છે કે ગામના કેટલાક અસામાજિક તત્વો તેમને બંધારણીય અધિકારોથી વંચિત રાખી સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્તરે ભેદભાવ કરી રહ્યા છે. એટ્રોસિટી એક્ટ હેઠળ છ ફરિયાદો અને અનેક રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં પીડિતોએ ગામ છોડીને હિજરત કરવાની ચીમકી આપી છે. આ મામલે હિંમતનગર જિલ્લા કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે. અગાઉ સમાધાનના પ્રયાસો થયા હતા, છતાં ગામમાં ફરી તણાવનું વાતાવરણ સર્જાયું છે.