રામ મંદિર દાન ચોરી મામલો: ચંપત રાય-અનિલ મિશ્રાની મુશ્કેલી વધી
રામ મંદિર દાન ચોરી મામલો: ચંપત રાય-અનિલ મિશ્રાની મુશ્કેલી વધી
Published on: 02nd July, 2026

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં 6 જુલાઈએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. તેમાં પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાને કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવશે. ફેજાબાદ બાર એસોસિએશને ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ વિરુદ્ધ FIRની માંગ કરી છે. SIT તપાસ ચાલુ છે અને અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ છે. વિવાદ વધતા ચંપત રાય અને અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.