બેંગ્લુરુમાં ખાણ દુર્ઘટના: 9 શ્રમિકોના ભેખડ નીચે દબાઈ જવાથી કરુણ મોત
બેંગ્લુરુમાં ખાણ દુર્ઘટના: 9 શ્રમિકોના ભેખડ નીચે દબાઈ જવાથી કરુણ મોત
Published on: 02nd July, 2026

બેંગ્લુરુના દક્ષિણ તાલુકાના મડાપટનામાં એક પથ્થરની ખાણમાં કામ કરી રહેલા 9 શ્રમિકો પર વિશાળ ભેખડ ધસી પડતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. બિહાર અને અસમના આ રોજમદાર શ્રમિકો 40 ફૂટની ઊંચાઈએથી પડેલા પથ્થર નીચે દટાઈ ગયા હતા, અને તેમને બચવાની કોઈ તક મળી નહોતી. ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય શ્રમિકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ અને બચાવ દળોએ રાહત કામગીરી શરૂ કરી છે અને દુર્ઘટનાના કારણો તથા સુરક્ષા નિયમોના પાલનની તપાસ હાથ ધરી છે. મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.