રેલવે દ્વારા શાલિમાર સહિત 8 ટ્રેનમાં જનરલ કોચ વધારાયા, ભીડ ઘટશે અને મુસાફરોને જગ્યા મળશે.
રેલવે દ્વારા શાલિમાર સહિત 8 ટ્રેનમાં જનરલ કોચ વધારાયા, ભીડ ઘટશે અને મુસાફરોને જગ્યા મળશે.
Published on: 23rd February, 2026

રેલવે દ્વારા સામાન્ય વર્ગના મુસાફરો માટે રાજકોટ ડિવિઝનની ઓખા-પોરબંદરથી દોડતી ચાર જોડી ટ્રેનમાં કાયમી ધોરણે જનરલ કોચ વધારાયા. આથી, મુસાફરોને ભીડમાં રાહત થશે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના લાંબા અંતરના રૂટ પર મુસાફરી કરતા લોકોને લાભ થશે. આ સુવિધાથી ટ્રેનમાં બેસવા માટે સામાન્ય ટિકિટ પર મુસાફરી કરતા લોકોને પૂરતી જગ્યા મળી રહેશે અને તેમની મુસાફરી વધુ સુખદ અને સરળ બનશે.