આણંદના બાકરોલ-વિદ્યાનગરની 130થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી નહીં ઓસરતાં બિલ્ડરો સામે સવાલો
આણંદના બાકરોલ-વિદ્યાનગરની 130થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી નહીં ઓસરતાં બિલ્ડરો સામે સવાલો
Published on: 03rd August, 2026

છેલ્લા 30 કલાકથી વરસાદ અટક્યો હોવા છતાં કરમસદ-આણંદ મનપા વિસ્તારની બાકરોલ, વિદ્યાનગર અને શહેરના પૂર્વ વિસ્તારની 130 થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. યોગ્ય નિકાલ વ્યવસ્થાના અભાવે સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે. આ સ્થિતિ માટે નિયમો નેવે મૂકી બાંધકામ પરવાનગી મેળવનારા બિલ્ડરો પણ જવાબદાર છે. મનપા દ્વારા ચકાસણી વગર પરવાનગી અપાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કાંસ પર દબાણ અને અયોગ્ય આયોજનને કારણે પાણી ભરાઈ રહે છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે.