પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ DA, પૂજારીઓ અને મુઅજ્જિનના ભથ્થામાં વધારાની જાહેરાત કરી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ DA, પૂજારીઓ અને મુઅજ્જિનના ભથ્થામાં વધારાની જાહેરાત કરી.
Published on: 16th March, 2026

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે જ મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોટી લોકપ્રિય જાહેરાતો કરી છે. રાજ્યના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા (DA) માં વધારાની સાથે સાથે મંદિરના પૂજારીઓ અને મસ્જિદના 'બાંગી' (મુઅજ્જિન) ના ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો લાભ શિક્ષકો, બિન-શૈક્ષણિક સ્ટાફ અને ગ્રાન્ટેડ સંસ્થાઓના કર્મચારીઓને પણ મળશે.