ખડગે-રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, રામ મંદિર દાન ચોરી કેસમાં નિષ્પક્ષ તપાસની માંગ
ખડગે-રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, રામ મંદિર દાન ચોરી કેસમાં નિષ્પક્ષ તપાસની માંગ
Published on: 19th July, 2026

અયોધ્યાના રામ મંદિરમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા દાન અને ચઢાવાની ચોરીના આરોપો બાદ હવે રાજકારણ ગરમાયું છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર લખી રામ મંદિર ટ્રસ્ટના ભંડોળના દુરુપયોગની સ્વતંત્ર અને વ્યાપક તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે આ કૌભાંડથી લાખો રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. ટ્રસ્ટના સભ્યોની RSS અને VHP સાથેની કડીઓ અને વડાપ્રધાનના નજીકના સહયોગીઓની સંડોવણી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.