ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા અચોક્કસ સમય માટે સ્થગિત
ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા અચોક્કસ સમય માટે સ્થગિત
Published on: 19th July, 2026

ભારતીય હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની આગાહીને પગલે, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાને અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દીધી છે. તેવી જ રીતે, કાશ્મીર વિભાગીય કમિશનર અંશુલ ગર્ગે જણાવ્યું કે, 19 જુલાઈથી પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા પણ સંપૂર્ણપણે સ્થગિત રહેશે. વહીવટીતંત્રએ યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ રહેવા અને સત્તાવાર સૂચનાઓની રાહ જોવા અપીલ કરી છે.