બિહારમાં ૩૨,૩૮૮ શિક્ષક ભરતી: આંદોલન પહેલાં જ સરકાર સક્રિય
બિહારમાં ૩૨,૩૮૮ શિક્ષક ભરતી: આંદોલન પહેલાં જ સરકાર સક્રિય
Published on: 18th August, 2026

બિહારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના આંદોલન અને આમરણાંત ઉપવાસ સામે વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પટનાના ગર્દનીબાગમાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠાના ગણતરીના કલાકોમાં જ બિહાર જાહેર સેવા આયોગ (BPSC) દ્વારા ચોથા તબક્કાની શાળા શિક્ષક ભરતી પરીક્ષા (TRE-4.0) માટેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે, જેમાં 32,388 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે 1 સપ્ટેમ્બર 2026 થી અરજી પ્રક્રિયા શરૂ થશે અને 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે.