કિરેન રિજિજુના દાવા પર રાહુલ ગાંધીનો આરોપ, ‘દેશના બાળકો સાથે જૂઠ્ઠું ન બોલો’
કિરેન રિજિજુના દાવા પર રાહુલ ગાંધીનો આરોપ, ‘દેશના બાળકો સાથે જૂઠ્ઠું ન બોલો’
Published on: 18th August, 2026

દિલ્હીના જંતર-મંતર ખાતેના વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ હજારો પ્રદર્શનકારીઓ છતાં કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ વિના પ્રદર્શનને કાબૂમાં લેવાયો હોવાનો દાવો કર્યો. તેમણે 'ગુનાહિત તત્વો'ની સંડોવણીનો પણ આરોપ મૂક્યો. તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, શાંતિપૂર્ણ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પેલેટ ગન અને ખીલાવાળી લાઠીઓથી માર મારવામાં આવ્યો, જેમાં એક બાળકે આંખ ગુમાવી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેઓ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળ્યા છે અને હજારો વીડિયો ઉપલબ્ધ છે. તેમણે વડાપ્રધાન અને ગૃહમંત્રી પર નિશાન સાધતા કહ્યું કે, દેશના બાળકો સાથે જૂઠ્ઠું ન બોલવું જોઈએ.