ગોધરાના પખવાડિયા પહેલાં બનેલું નાળું પ્રથમ વરસાદે તણાયું
ગોધરાના પખવાડિયા પહેલાં બનેલું નાળું પ્રથમ વરસાદે તણાયું
Published on: 25th June, 2026

ઘોઘંબા તાલુકાના જોરાપુરા ગામમાં પ્રથમ વરસાદમાં જ નવા બનેલા નાળાનું ધોવાણ થતાં કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાત વર્ષ જૂનું સમાંતર નાળું હજી અકબંધ છે, જ્યારે નવું નાળું તૂટી ગયું છે. આ ઉપરાંત, ગામમાં 33 શૌચાલય બન્યા વિના જ નાણાં ઉપડી ગયા છે અને શોષ ખાડા સહિતના વિકાસ કાર્યો પણ યોગ્ય રીતે ન થયાનો આક્ષેપ છે. સ્થાનિકોએ જીલ્લા અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં રજુઆત કરી તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે, નહિંતર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.