ભરૂચમાં ત્રણ દિવસ ફાટા તળાવથી ફુરજા માર્ગ બંધ: તાજીયા જૂલુસને કારણે ટ્રાફિક ડાયવર્ઝન
ભરૂચમાં ત્રણ દિવસ ફાટા તળાવથી ફુરજા માર્ગ બંધ: તાજીયા જૂલુસને કારણે ટ્રાફિક ડાયવર્ઝન
Published on: 25th June, 2026

મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે ભરૂચ શહેરમાં તાજીયા જૂલુસ યોજાનાર છે. આ જૂલુસ ફાટા તળાવથી શરૂ થઈ ફુરજા બંદર સુધી પહોંચશે. આયોજનના કારણે, 25મી જૂનની રાત્રે 9 વાગ્યાથી 26મી જૂનની સવારે 4 વાગ્યા સુધી અને 26મી જૂનની બપોરે 3 વાગ્યાથી 27મી જૂનની સવારે 4 વાગ્યા સુધી, ફાટા તળાવથી જુમ્મા મસ્જિદ અને ફુરજા બંદર સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. લોકોને ટ્રાફિક જામ અને અસુવિધા ટાળવા માટે પાંચબત્તી, લલ્લુભાઈ ચકલા, જુનાબજાર, વસંત મીલ ઢાળ અને પીરકાંઠી જેવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી છે.