મિલકત છેતરપિંડી કેસમાં માજી સાંસદ રિઝવીના આગોતરા જામીન નામંજૂર
મિલકત છેતરપિંડી કેસમાં માજી સાંસદ રિઝવીના આગોતરા જામીન નામંજૂર
Published on: 28th July, 2026

મુંબઈની કોર્ટે મિલકત છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના કેસમાં રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અખ્તર હસન રિઝવીને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ રિઝવી ગુનામાં ઊંડાણપૂર્વક સંડોવાયેલા છે અને તેમની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. આરોપ છે કે તેમણે ફરિયાદીના પરિવારની નિરક્ષરતાનો લાભ લઈને ખોટા મિલકત દસ્તાવેજો તૈયાર કર્યા હતા. રિઝવીએ બધો દોષ કર્મચારીઓ પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.