ઘૂસણખોરોને જેલમાં રાખવાને બદલે તાત્કાલિક ડિપોર્ટ કરો: NIA અને સરકાર પર કોર્ટના પ્રશ્નો!
ઘૂસણખોરોને જેલમાં રાખવાને બદલે તાત્કાલિક ડિપોર્ટ કરો: NIA અને સરકાર પર કોર્ટના પ્રશ્નો!
Published on: 28th July, 2026

પાકિસ્તાની ઘૂસણખોરોને તાત્કાલિક ડિપોર્ટ કરવાને બદલે ભારતીય જેલોમાં રાખવાથી ખર્ચનો બોજ વધી રહ્યો છે. ગુજરાત અને કેન્દ્ર સરકારના વહીવટ પર કોર્ટના આકરા સવાલો છે. છ વર્ષ પહેલા ઝડપાયેલા છ પાકિસ્તાની ઘૂસણખોરોને આઠ વર્ષની કેદની સજા થઈ છે, તેમને તાત્કાલિક પાકિસ્તાન મોકલવાને બદલે વધુ આઠ વર્ષ ભારતીય જેલોમાં રાખવા પડશે. દેશની જેલો પહેલેથી જ ઓવરક્રાઉડેડ છે, ત્યારે આવા કેદીઓને સાચવવા પાછળનો ખર્ચ પણ વધી રહ્યો છે. સરહદે સુરક્ષાના દાવા વચ્ચે પાકિસ્તાનીઓનું ઘૂસણખોરી કરવી એ પણ ચિંતાનો વિષય છે.