શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર: શુભમન ગિલ કેપ્ટન
શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર: શુભમન ગિલ કેપ્ટન
Published on: 28th July, 2026

શ્રીલંકા સામે રમાનારી 2 ટેસ્ટ મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ સિરીઝ માટે શુભમન ગિલને ટીમના કેપ્ટન અને કેએલ રાહુલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમમાં યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મો. સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાર, દેવદત્ત પડિકલ અને સારાંશ જૈનનો સમાવેશ કરાયો છે. સાઈ સુદર્શન અને જસપ્રિત બુમરાહની ઉપલબ્ધતા ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે.