ગુજરાતી 'નાનીના નાસ્તા'નો દિલ્હીવાસીઓને ચસકો લાગ્યો!
ગુજરાતી 'નાનીના નાસ્તા'નો દિલ્હીવાસીઓને ચસકો લાગ્યો!
Published on: 25th June, 2026

૯૧ વર્ષની ઉંમરે પતિના અવસાન બાદ પ્રભાવતીબેને 'નાનીસ નાસ્તા' નામનો સ્ટાર્ટઅપ શરૂ કર્યો. દરરોજ સવારે ૫ વાગ્યે ઉઠીને તેઓ દિલ્હીવાસીઓ માટે ઢોકળા, દાળ ઢોકળી, થેપલાં જેવી વાનગીઓ બનાવે છે. તેમની અદભૂત સફર જોઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ તેમના પ્રશંસક બન્યા છે. પ્રભાવતીબેન કમાણીના હેતુથી નહીં, પણ પ્રવૃત્તિમય રહેવા અને સમાજસેવા માટે આ વ્યવસાય કરે છે. તેમને 'યંગેસ્ટ શેફ ઇન ઇન્ડિયા'નો એવોર્ડ પણ મળ્યો છે.