કેનાલમાં ન્હાવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતાં મોત: એક દુઃખદ ઘટના.
કેનાલમાં ન્હાવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતાં મોત: એક દુઃખદ ઘટના.
Published on: 04th April, 2026

ધોળકાના સરોડા પાસે રાય યુનિવર્સિટીના હરિયાણાના 22 વર્ષીય વિદ્યાર્થી અશ્વિની મહેશકુમારનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. પાણીનો પ્રવાહ વધુ હોવાથી વિદ્યાર્થી ગરકાવ થઇ ગયો હતો. તેની લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી. પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. આ ઘટનાથી પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.