કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે સામે ફરિયાદ નોંધાઈ.
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે સામે ફરિયાદ નોંધાઈ.
Published on: 07th April, 2026

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આસામમાં એક ચૂંટણી સભા દરમિયાન નિવેદન કરતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. વાસ્તવમાં તેમણે ચૂંટણી સભા દરમયિાન RSS-BJPની તુલના સાંપો સાથે કરી હતી, જેના કારણે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ખડગેના નિવેદન બાદ ભાજપ નેતા રંજીવ કુમાર શર્માએ તેમની સામે ફરિયાદ નોંધાવી છે. ભાજપ નેતાએ આસામમાં ભાજપ કાર્યાલય પાસેના પોલીસ સ્ટેશનમાં ખડગે વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. ભાજપે કહ્યું કે, ખડગેએ ચૂંટણી મંચ પરથી વાંધાજનક નિવેદન કર્યું છે. આવા નિવેદનથી રાજકીય માહોલને નુકસાન પહોંચે છે. ફરિયાદ બાદ પોલીસે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.