UPI ચાર્જ: વેપારીઓમાં રોષ, રોકડ વ્યવહારની ચીમકી
UPI ચાર્જ: વેપારીઓમાં રોષ, રોકડ વ્યવહારની ચીમકી
Published on: 20th September, 2026

15 ઓક્ટોબરથી ₹2000થી વધુના UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR લાગુ થવાથી વેપારીઓમાં ભારે નારાજગી છે. કાપડ વેપારીઓએ QR કોડ દૂર કર્યા છે. તેઓ કેશ અને ચેકથી વ્યવહાર કરવા તરફ ફરી રહ્યા છે. વેપારીઓ આ લિમિટ વધારવાની માગ કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયને કારણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના અભિયાન પર વિપરીત અસર પડશે અને લોકો ફરી રોકડ તરફ વળશે તેવું અનુમાન છે. આ ચાર્જની અસર વેચાણ અને GDP પર પડી શકે છે.