એમએમઆરમાં 10 વોટર મેટ્રો, સરકારની મહત્વકાંક્ષી યોજના
એમએમઆરમાં 10 વોટર મેટ્રો, સરકારની મહત્વકાંક્ષી યોજના
Published on: 18th February, 2026

ટ્રાફિકજામના કારણે હેરાન મુંબઈગરા માટે એક રાહતના સમાચાર છે. મુંબઈના ટ્રાફિકાજામ પર ઉપાય તરીકે 10 જળમાર્ગનો પ્રસ્તાવ છે. એમાં મુંબઈ, મિરા-ભાઈંદર, વસઈ-વિરાર, કલ્યાણ, થાણેનો સમાવેશ છે. આ 10 જળમાર્ગ શરૂ થશે તો 85 કિલોમીટરનો જળમાર્ગ કુલ 200 કિમી સુધી પહોંચશે. ઉપરાંત આ 10 જળમાર્ગના લીધે મુંબઈના પ્રવાસી પરિવહનનો ચહેરો બદલાશે એવો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે. મુંબઈ મહાનગર પ્રદેશ એટલે કે એમએમઆર રીજિયનના ટ્રાફિકજામને દૂર કરવાના ઉદ્દેશથી આંતરિક પરિવહન વ્યવસ્થા મજબૂત કરવા કરવા અનેક રસ્તા પ્રકલ્પ અમલમાં મૂકવામાં આવ્યા છે. એમાં હવે જળ પરિવહનને ઉત્તેજન આપવામાં આવે છે. મહારાષ્ટ્ર સાગરી મંડળ તરફથી એમએમઆરમાં નવા 10 માર્ગ પર જળ મેટ્રોના વિસ્તરણની રૂપરેખા તૈયાર કરવાનું શરૂ કરવામાં આવ્યું. દરમિયાન આ કામ અંતિમ તબક્કામાં છે અને મંડળને ટૂંક સમયમાં સલાહકાર કંપની તરફથી રૂપરેખા રજૂ કરવામાં આવશે. સાગરી મંડળ તરફથી અત્યારે કુલ 85 કિમી અંતર વ્યાપતા 21 જળમાર્ગ પર જળ પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. એમએમઆરને મોટો સમુદ્ર મળ્યો હોવાથી અહીંની ટ્રાફિકજામ દૂર કરવા સાગરી મંડળ પ્રવાસનો અતિઝડપી વિકલ્પ આપશે અને નવા 10 જળમાર્ગ વિકસિત કર્યા છે. દરમિયાન ઓગસ્ટ 2025ના અહેવાલમાં 21 ઠેકાણાની પસંદગી કરવામાં આવી હતી. એમાં હવે 10 નવા જળમાર્ગનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. એમાં મુંબઈ, મિરા-ભાઈંદર, વસઈ-વિરાર, કલ્યાણ, થાણે પરિસરમાં જળ પરિવહનન રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. અત્યારે 21 ઠેકાણે જલ પરિવહન માર્ગ, 85 કિમી માર્ગ, 10 નવા માર્ગ શરૂ થશે તો 200 કિમીનું જળ પરિવહન પ્રસ્તાવિત છે. રસ્તા, રેલવે, પરિવહનનો તાણ ઓછો કરવા જળ પરિવહનનો વિકલ્પ છે. સાગરમાલ 2.0 અંતર્ગત 60 ટકા કેન્દ્ર અને 40 ટકા રાજ્ય સરકારના ભંડોળમાંથી પ્રકલ્પ અમલમાં મૂકવામાં આવશે. રૂપરેખાનું કામ અંતિમ તબક્કામાં અમે જળમેટ્રોનો વિષય રજૂ કર્યો હતો અને રાજ્ય સરકારે એના પર કામ ચાલુ કર્યું છે. મુંબઈને જળ મેટ્રોની જરૂર છે. ઉપરાંત આ જળમાર્ગની વ્યવહારિકતા તપાસ અહેવાલ આ પહેલાં જ પૂરો કરવામાં આવ્યો છે. એ પછી આ નવા જળમાર્ગની વિગતવાર રૂપરેખા તૈયાર કરવા એક કંપનીની સલાહકાર તરીકે નિમણુક કરવામાં આવી છે. આ રૂપરેખાનું કામ અંતિમ તબક્કામાં હોવાની લેખિત માહિતી સાગરી મંડળે આપી છે.