તળાજા હોસ્પિટલ ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પીચ થેરાપી કેમ્પ
તળાજા હોસ્પિટલ ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પીચ થેરાપી કેમ્પ
Published on: 14th June, 2026

PNR સોસાયટી સંચાલિત એન.આર શાહ મેમોરિયલ હોસ્પિટલ, તળાજા ખાતે દિવ્યાંગ બાળકો માટે વિશેષ સ્પીચ થેરાપી નિદાન અને માર્ગદર્શન કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી અને બૌદ્ધિક અક્ષમતા ધરાવતા ૧૫થી વધુ બાળકો અને તેમના વાલીઓએ લાભ લીધો. સ્પીચ થેરાપિસ્ટ ડૉ. અંબર ગુપ્તાએ બાળકોનું મૂલ્યાંકન કરી વ્યક્તિગત સારવાર યોજના અંગે માર્ગદર્શન આપ્યું. ડૉ. ગુપ્તાએ જણાવ્યું કે સમયસર નિદાન, યોગ્ય સ્પીચ થેરાપી અને વાલીઓના સહયોગથી આ બાળકોમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે. દર મહિના ના બીજા શનિવારે આવા કેમ્પ યોજાશે.