સુરત મનપાના આરોગ્ય અધિકારી ડૉ. ઉમરીગર પાસેથી જવાબદારી પાછી ખેંચાઈ
સુરત મનપાના આરોગ્ય અધિકારી ડૉ. ઉમરીગર પાસેથી જવાબદારી પાછી ખેંચાઈ
Published on: 19th August, 2026

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં મોટો વહીવટી ફેરફાર કરાયો છે. ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે આરોગ્ય અધિકારી ડૉ. ઉમરીગર પાસેથી ડિવિઝનલ હેડની જવાબદારી પાછી ખેંચી લીધી છે. હવે આરોગ્ય વિભાગની તમામ ફાઈલો, રિપોર્ટ્સ અને દરખાસ્તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DyMC) નિધિ સિવાચ મારફતે આગળ વધશે. અગાઉ ડૉ. ઉમરીગર સીધા કમિશનરને રિપોર્ટ કરતા હતા, પરંતુ હવે તેમનું રિપોર્ટિંગ DyMC નિધિ સિવાચ કક્ષાએ થશે. આ નિર્ણયથી ફાઈલ મૂવમેન્ટ અને નિર્ણય પ્રક્રિયામાં DyMC નું મધ્યસ્થ સ્તર ફરી સક્રિય બન્યું છે.