અમદાવાદમાં બદલાતું હવામાનને લીધે રોગચાળો વકર્યો
અમદાવાદમાં બદલાતું હવામાનને લીધે રોગચાળો વકર્યો
Published on: 09th September, 2026

અમદાવાદ શહેરમાં ઋતુ બદલાતાં જ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો જોવા મળી રહી છે. વરસાદી અને ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં, સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ 13,069 OPD નોંધાઈ છે, જેમાં 1,571 દર્દીઓને દાખલ કરવા પડ્યા છે. ડેન્ગ્યુના 130, મેલેરિયાના 24 અને સ્વાઈન ફ્લૂના 10 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ઝાડા-ઉલટી અને તાવના દર્દીઓથી પણ OPD ઉભરાઈ રહી છે.