રાજકોટમાં રોગચાળો વકર્યો: એક સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના ૧,૫૭૯ કેસ, તંત્ર સક્રિય
રાજકોટમાં રોગચાળો વકર્યો: એક સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના ૧,૫૭૯ કેસ, તંત્ર સક્રિય
Published on: 18th August, 2026

રાજકોટ શહેરમાં બદલાતા વાતાવરણને કારણે રોગચાળાએ દેખા દીધી છે. છેલ્લા એક સપ્તાહમાં તાવ, શરદી અને ઉધરસના ૧,૫૭૯ નવા કેસ નોંધાયા છે. સ્થિતિને પહોંચી વળવા Rajkot મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે અને જુદા જુદા વિસ્તારોમાં સઘન ફોગિંગ તથા દવા છંટકાવ શરૂ કર્યો છે. બેવડી ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. RMC દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સ અને પોરાનાશક દવા છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.