લોકમેળામાં ફૂડ વિભાગની સખ્ત કાર્યવાહી: 417 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ
લોકમેળામાં ફૂડ વિભાગની સખ્ત કાર્યવાહી: 417 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ
Published on: 07th September, 2026

રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગે જન્માષ્ટમી લોકમેળા દરમિયાન ભેળસેળિયા વેપારીઓ સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. માત્ર 5 દિવસમાં, 417 કિલો અખાદ્ય અને વાસી ખોરાક, જેમાં વાસી બટેટા, ઘૂઘરા, બ્રેડ પકોડા, અને દાઝીયું તેલ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે, તે ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ પાસેથી ₹15,750 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો. આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.