વિશ્વ રક્તદાતા દિવસ: રાજપીપળામાં જનજાગૃતિ માટે યોજાઈ ભવ્ય રેલી
વિશ્વ રક્તદાતા દિવસ: રાજપીપળામાં જનજાગૃતિ માટે યોજાઈ ભવ્ય રેલી
Published on: 15th June, 2026

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે તા. 14 જૂન, 2026ના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે એક પ્રેરણાદાયી રેલીનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય શાખા અને જિલ્લા પંચાયત, નર્મદા દ્વારા આયોજિત આ કાર્યક્રમને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, નગરપાલિકા પ્રમુખ શિવાનીબહેન મહેતા અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢક દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. "રક્તદાન કરો, જીવન બચાવો - આશાનો દીવો પ્રગટાવો" જેવા ઉત્સાહપૂર્ણ સૂત્રો સાથે, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, નાગરિકો અને સરકારી કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો.