ગુજરાતમાં સ્થાનિક સાપના ઝેરથી એન્ટિવેનમ બનશે: સર્પદંશથી થતાં મૃત્યુ ઘટાડવાની રાજ્ય સરકારની પહેલ.
ગુજરાતમાં સ્થાનિક સાપના ઝેરથી એન્ટિવેનમ બનશે: સર્પદંશથી થતાં મૃત્યુ ઘટાડવાની રાજ્ય સરકારની પહેલ.
Published on: 26th February, 2026

ગુજરાત સરકાર સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવા માટે મહત્વની પહેલ કરી રહી છે. રાજ્યના ઝેરી સાપના ઝેરમાંથી એન્ટિવેનમ હોસ્પિટલોમાં મળશે, જેનાથી સારવાર અસરકારક બનશે. વલસાડના SRI દ્વારા ઝેર એકત્રિત કરી એન્ટિવેનમ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. સંસ્થામાં 460 ઝેરી સાપ છે. 'National Action Plan for Prevention and Control of Snakebite Envenoming (NAP-SE)' અંતર્ગત 2030 સુધીમાં મૃત્યુ ઘટાડવાનો લક્ષ્યાંક છે.