પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર!
પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર!
Published on: 07th July, 2026

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસના પ્રકોપને કારણે બે માસૂમ બાળકોના કરુણ મોત નિપજ્યા છે. વિઝોલ અને જીતપુરા ગામના આ બાળકોને ગંભીર તાવ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. વડોદરા ખાતે મોકલેલા બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સેન્ડફ્લાયના કરડવાથી ફેલાતો આ વાયરસ સીધો મગજ પર અસર કરે છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં ઘરે-ઘરે સ્ક્રીનિંગ અને સર્વેક્ષણ શરૂ કરાયું છે.