દાહોદના સંજેલી તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ
દાહોદના સંજેલી તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ
Published on: 12th August, 2026

સંજેલી તાલુકામાં આવેલ 137 આંગણવાડી કેન્દ્રો ખાતે ક્કવિશ્વ સ્તનપાન સપ્તાહક્ર ની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે સગર્ભા-ધાત્રી માતાઓ અને સ્થાનિક લોકોને સ્તનપાન, બાળ પોષણ અને આરોગ્યનું મહત્વ સરળ રીતે સમજાવાયું. કાર્યક્રમમાં ઈનચાર્જ સીડીપીઓ મણીબેન ભાભોર, મુખ્ય સેવિકા દમયંતીબેન, બ્લોક કોઓર્ડિનેટર, પીએસઈ, બીએનએમ, આંગણવાડી કાર્યકરો, સગર્ભા માતા, ધાત્રી માતા,મોટી સંખ્યામાં અન્ય લાભર્થી ઉપસ્થિત રહ્યા હતા.