દેડિયાપાડા છાત્રાલયમાં જરૂરિયાતમંદ દીકરીઓ માટે સેનિટરી પેડ વેન્ડિંગ મશીન અર્પણ કરાયું
દેડિયાપાડા છાત્રાલયમાં જરૂરિયાતમંદ દીકરીઓ માટે સેનિટરી પેડ વેન્ડિંગ મશીન અર્પણ કરાયું
Published on: 15th June, 2026

અંકલેશ્વર: સાથી ફઉન્ડેશન અને ઝાયડસ લાઈફ્ સાયન્સ યુનિટ-2 દ્વારા દેડિયાપાડા ખાતે આવેલ આદિવાસી જન સેવા તીર્થ છાત્રાલયની જરૂરિયાતમંદ દીકરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. છાત્રાલયમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીન અર્પણ કરાયું છે. સાથી ફઉન્ડેશનના ચેરપર્સન ફલ્ગુનીબેન પટેલ વિદેશમાં હોવા છતાં, તેમણે ટેકનોલોજીના માધ્યમથી સંપર્કમાં રહીને આ સામાજિક જવાબદારી નિભાવી હતી.