પર્યાવરણ બચાવવા ગણેશોત્સવમાં અનોખી પહેલ
પર્યાવરણ બચાવવા ગણેશોત્સવમાં અનોખી પહેલ
Published on: 09th September, 2026

સુરતમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ બચાવવાનો સંકલ્પ જોવા મળી રહ્યો છે. પાલિકાના ‘1 કિલો પ્લાસ્ટિક આપો, માટીના ગણેશજી લઈ જાઓ’ અભિયાનમાં ૧૨૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર થયો છે અને ૭૫૦ જેટલા માટીના ગણેશજી નાગરિકોને મળ્યા છે. આ પહેલ પ્લાસ્ટિક મુક્તિ અને માટીની મૂર્તિના પ્રચારને જોડી, ગણેશોત્સવને ‘ગ્રીન’ બનાવવાનો સંદેશ આપી રહી છે. પ્લાસ્ટિકના બદલે માટીની મૂર્તિઓ પ્રોત્સાહન આપી જળસ્રોતો પર થતી પર્યાવરણીય અસર ઘટાડવાનો પ્રયાસ છે.