પોરબંદરમાં જર્મન શેફર્ડ શ્વાનનો આતંક, 20 લોકોને બચકા ભર્યા
પોરબંદરમાં જર્મન શેફર્ડ શ્વાનનો આતંક, 20 લોકોને બચકા ભર્યા
Published on: 20th September, 2026

પોરબંદર શહેરમાં જર્મન શેફર્ડ શ્વાનનો આતંક જોવા મળ્યો, જેના કારણે એસટી ડેપો અને બિરલા હોલ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. આ પાલતુ શ્વાને અંદાજે 20 જેટલા લોકોને બચકા ભર્યા હતા, જેના પગલે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મહાનગર પાલિકા (મનપા)ની ટીમે સક્રિયતા દાખવી આ શ્વાનને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો અને તેના માલિકની શોધખોળ શરૂ કરી છે. શહેરમાં રઝળતા ઢોર બાદ હવે આવા શ્વાનોનો આતંક વધતા લોકોમાં ચિંતા વ્યાપી છે.