નર્સિંગ સુપ્રિટેન્ડન્ટની હેરાનગતિના લીધે સ્ટાફનર્સની આત્મવિલોપનની ચિમકી
નર્સિંગ સુપ્રિટેન્ડન્ટની હેરાનગતિના લીધે સ્ટાફનર્સની આત્મવિલોપનની ચિમકી
Published on: 21st May, 2026

ભાવનગર - સર ટી.હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન ફરી વિવાદમાં આવ્યા છે. હોસ્પિટલના નવનિયુક્ત નર્સિંગ સુપ્રિટેન્ડન્ટે તાજેતરમાં વોર્ડના નર્સિંગ સ્ટાફની આંતરિક બદલીઓ કરી હતી. જેમાં માનિત સ્ટાફને સારા વોર્ડમાં મુકી ભેદભાવ તથા સ્ટાફની અછત ઉભી કરવામાં આવે છે. તેમજ માનસિક રીતે હેરાન કરવામાં આવતી હોવાની નનામી અરજી સ્ટાફ નર્સ દ્વારા હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને કરવામાં આવી છે અને જો કોઈ કાર્યવાહી નહી થાય તો આત્મવિલોપનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.