વડોદરાના ખોડિયારનગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન
વડોદરાના ખોડિયારનગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન
Published on: 07th August, 2026

વડોદરાના વોર્ડ નંબર-૪માં આવેલ ખોડીયારનગરના રામનગર-૧ વિસ્તારના રહીશોએ પ્રાથમિક સુવિધાના મુદ્દે મ્યુનિ. કોર્પોરેશન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. આશરે ૩૦૦ મકાનો ધરાવતા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ગટરનું દૂષિત પાણી પીવા માટે આવી રહ્યું છે, જેના કારણે બાળકો અને વૃદ્ધો બિમાર પડી રહ્યા છે. ડ્રેનેજ લાઇનો ચોકઅપ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશોએ વેરા બિલ અને દૂષિત પાણીની બોટલો સાથે સૂત્રોચ્ચાર કર્યા.